You are here: Home >> Gujarati News & Features >> Top News

દીકરીની ટકોરે LLBમાં નવ ગોલ્ડમેડલ અપાવ્યા

DVAHM55756 | 2/9/2010 | Author : Bhaskar News, Ahmedabad


૫૧ વર્ષની ઉમરે ડો. વિદુલા બાવીશીએ ઇતિહાસ રચ્યો

‘ફેન્ટાસ્ટિક અનુભવ થઈ રહ્યો છે આજે મને! મને જીવનમાં ક્યારેય એવી અપેક્ષા ન હતી કે હું એલએલબીની પરીક્ષામાં નવ ગોલ્ડ મેડલ મેળવીશ. લો શાખામાં મેં આ સિદ્ધિ મેળવી છે, તેના માટે ન્યૂ યોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી ડેન્ટલ સર્જન દીકરી રીનીની મીઠી ટકોર જવાબદાર છે.

થોડાંક વર્ષો પહેલાં અમદાવાદની ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરતી દીકરી રીનીને અભ્યાસ માટે વહેલા ઉઠાડતી. તેમ છતાં તે વાંરવાર ઊઘી જતી હોવાથી તેને હું કડક સૂચના આપતી. જવાબમાં રીની કહેતી મમ્મી સવારે ઊઠીને ચા બનાવીને ફિલ્મફેર- ફેમિના જેવા મેગેઝિન વાંચવા સહેલાં છે, પરંતુ તું હવે ભણીને પરીક્ષા આપે તો તને ખરી માનુ.

બસ ! રીનીની આ જ ટકોરને મેં પડકારરૂપ ગણી એલએલબીનો અભ્યાસ શરૂ કર્યો અને હવે પરિણામ તમારી સામે છે.’ તેવી પ્રતિક્રિયા એલએલબીની ફાઈનલ પરીક્ષામાં નવ ગોલ્ડ મેડલ મેળવનારા ગાયનેકોલોજિસ્ટ ડો. વિદુલા મુકેશ બાવીશીએ વ્યકત કરી છે. ૫૧ વર્ષના આ ગાયનેકોલોજિસ્ટે લો શાખામાં સિદ્ધિ મેળવીને ઇતિહાસ રચ્યો છે. તેમને ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત પદવીદાન સમારોહમાં એલએલબી ફાઈનલની ડિગ્રી અને પદવી એનાયત કરાયાં હતાં.

શહેરના અગ્રણી ઇન્ફટિર્લિટી નિષ્ણાત અને તેમના ડોક્ટર પતિ મુકેશ બાવીશી અને તેમનો પરિવાર ડો. વિદુલાની સિદ્ધિથી ખૂબ જ આનંદિત છે. દિવસ દરમિયાન તેમના પર ફોન દ્વારા અભિનંદનની વર્ષા થઈ હતી. ડો. વિદુલા બાવીશીએ કહ્યું હતું કે,‘ રીનીની ટકોર બાદ મેં નવગુજરાત કોલેજ કેમ્પસ સ્થિત ડી.ટી. લો કોલેજમાં પ્રવેશ લીધો. પ્રથમ વર્ષમાં ડિસ્ટિંકશન આવતા લોની પરીક્ષામાં ઓછામાં ઓછો એક ગોલ્ડ મેડલ આવશે તેવો આત્મ વિશ્વાસ વઘ્યો હતો. જો કે એક સાથે નવ-નવ...

More on Entertainment:

આકાશમાં ઊડો, સરોવરમાં તરો
DVSUR25490 | 9/7/2010 12:00:00 AM | Author : Bhaskar News, Surat

૬ ટૂરિસ્ટ પોઇન્ટ્સ અને ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે, ઉપરાંત ખાનગી મૂડીરોકાણથી હિલસ્ટેશનને વિકસાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ મુંબઈ ખાતે રોડ-શો યોજીને ઇન્વેસ્ટર્સને આકર્ષવામાં આવ્યા હતા. ગુજરાતના એકમાત્ર હિલ સ્ટ

વિડિયો પાઈરસી રોકવા માટે રાજ્ય માટે એન્ટી-પાઈરસી સ્ક્વોડ
DVMUM9786 | 9/5/2010 12:00:00 AM | Author : Bhaskar News, Mumbai

ગૃહપ્રધાન આર. આર. પાટીલે પાઈરસીને નાથવા માટે રાજ્ય સરકાર તરફથી જોઈતું દરેક પીઠબળ આપવની ખાતરી આપી હતી વિડિયો પાઈરસીને રોકવા માટે હવે રાજ્યભરમાં એન્ટી પાઈરસી સ્ક્વોડ સ્થાપવામાં આવશે. સમાજસેવા શાખા અને એલાયન્સ અગેઈન્સ્ટ કોપીરાઈટ થેફટ (એએસીટી) સંયુક્ત

ગોધરાકાંડના કેસનું ભારણ હોવાથી સીટ તપાસ નહીં કરે
DVAHM68312 | 9/4/2010 12:00:00 AM | Author : Bhaskar News, Ahmedabad

ગોધરાકાંડના કેસોનું ભારણ હોવાથી તેઓ હાલના તબક્કે ઇશરત જહાં એન્કાઉન્ટર કેસની તપાસનું ભારણ લઇ શકે તેમ નહીં હોવાની રજૂઆત સીટ દ્વારા હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી છે. ખંડપીઠે કરેલા હુકમનું પુન: મુલ્યાંકન કરવાની અરજીમાં સુપ્રીમ કોર્ટમાં પણ આવી અરજી પડતર હોવા

સ્વર્ણિમ નવરાત્રી માટે પાંચ કરોડનો ખર્ચ થશે
DVAHM68314 | 9/4/2010 12:00:00 AM | Author : Gautam Purohit, Gandhinagar

આ વર્ષે નવરાત્રી મહોત્સવ પાછળ રાજ્ય સરકાર પાંચ કરોડનો ખર્ચ કરશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આચારસંહિતા નહીં નડે તો ‘સ્વર્ણિમ નવરાત્રી મહોત્સવ’ ગાંધીનગર ખાતેના હેલીપેડ ગ્રાઉન્ડ પર યોજવાનું નક્કી કરાયું છે. આ મહોત્સવમાં પ્રથમ વખત બ્રાન્ડ એમ્બેસેડર અમિ