You are here: Home >> Gujarati News & Features >> Top News

ચીનમાંથી સુરતના એક હીરા વેપારીએ ધંધો સમેટી લીધો

DVSUR20068 | 2/9/2010 | Author : Bhaskar News, Surat


ચાઇનાના હીરાઉધોગને હજુ પણ મોટા ફટકા પડવાની શક્યતા

ચીનના સેન્ઝેનમાં હીરાની ડ્યૂટીચોરી કેસમાં ૨૧ ભારતીય નાગરિકોને ઝડપી પાડવામાં આવ્યા બાદ સુરતના હીરાઉધોગકારોનું મન ચીન પરથી ઊઠી ગયુ છે, શહેરના હીરાના એક મોટા વેપારીએ તો પોતાનો વેપાર ચીનમાંથી સમેટી પણ લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ માટે વેપારીઓનું કહેવું છે કે ડ્યૂટીચોરીના નામે ભારતીય વેપારીઓને રંજાડવામાં આવી રહ્યાં છે. આવનારા દિવસોમાં હજી વધારે યુનિટો બંધ થાય તેવી પણ સંભાવના જોવાઇ રહી છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ચીનના સેન્ઝેનમાં હીરાની ડ્યૂટી ચોરી કેસમાં ૨૧ ભારતીય નાગરિકો ઝડપાઇ જતાં સમગ્ર હીરા ઉધોગમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટના બાદ ચીનની સરકાર દ્વારા કડક વલણ અપનાવીને ભારતમાંથી ચીનમાં કારોબાર કરનારા વેપારીઓ ઉપર કડક અંકુશો દાખવવાનો ઇશારો કરતાં ચીનમાં રોકાણ કરનારા ભારતીય ઉધોગકારો દ્વારા ત્યાંથી ઉચાળા ભરવાની શરૂઆત કરવામાં આવી છે.

શહેરના એક જાણીતા હીરાના વેપારી દ્વારા ચીનમાંથી પોતાનો કારોબાર આટોપી લેવામાં આવ્યો છે. પંદર દિવસ પહેલાં પોતાનું ચીન ખાતેનું યુનિટ બંધ કરી દેવામાં આવ્યું છે.

હીરાની ડ્યૂટી ચોરી પ્રકરણમાં જે પ્રકારે ચીન દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે તેના કારણે ચીનમાં રોકાણકારો ઉચાળા ભરશે એવી દહેશત વર્તાઇ રહી હતી. આ દહેશત હવે સાચી પડી રહી છે અને મોટા ગજાના એક હીરા ઉધોગકાર દ્વારા પારોઠનાં પગલાં ભરવામાં આવતાં આગામી દિવસોમાં હીરાના અન્ય વેપારીઓ દ્વારા પણ ચીનમાંથી પોતાનો કારોબાર સંકેલી લેવામાં આવશે એવી શકયતાઓ જોવામાં આવી રહી છે....

More on Entertainment:

આકાશમાં ઊડો, સરોવરમાં તરો
DVSUR25490 | 9/7/2010 12:00:00 AM | Author : Bhaskar News, Surat

૬ ટૂરિસ્ટ પોઇન્ટ્સ અને ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે, ઉપરાંત ખાનગી મૂડીરોકાણથી હિલસ્ટેશનને વિકસાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ મુંબઈ ખાતે રોડ-શો યોજીને ઇન્વેસ્ટર્સને આકર્ષવામાં આવ્યા હતા. ગુજરાતના એકમાત્ર હિલ સ્ટ

વિડિયો પાઈરસી રોકવા માટે રાજ્ય માટે એન્ટી-પાઈરસી સ્ક્વોડ
DVMUM9786 | 9/5/2010 12:00:00 AM | Author : Bhaskar News, Mumbai

ગૃહપ્રધાન આર. આર. પાટીલે પાઈરસીને નાથવા માટે રાજ્ય સરકાર તરફથી જોઈતું દરેક પીઠબળ આપવની ખાતરી આપી હતી વિડિયો પાઈરસીને રોકવા માટે હવે રાજ્યભરમાં એન્ટી પાઈરસી સ્ક્વોડ સ્થાપવામાં આવશે. સમાજસેવા શાખા અને એલાયન્સ અગેઈન્સ્ટ કોપીરાઈટ થેફટ (એએસીટી) સંયુક્ત

ગોધરાકાંડના કેસનું ભારણ હોવાથી સીટ તપાસ નહીં કરે
DVAHM68312 | 9/4/2010 12:00:00 AM | Author : Bhaskar News, Ahmedabad

ગોધરાકાંડના કેસોનું ભારણ હોવાથી તેઓ હાલના તબક્કે ઇશરત જહાં એન્કાઉન્ટર કેસની તપાસનું ભારણ લઇ શકે તેમ નહીં હોવાની રજૂઆત સીટ દ્વારા હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી છે. ખંડપીઠે કરેલા હુકમનું પુન: મુલ્યાંકન કરવાની અરજીમાં સુપ્રીમ કોર્ટમાં પણ આવી અરજી પડતર હોવા

સ્વર્ણિમ નવરાત્રી માટે પાંચ કરોડનો ખર્ચ થશે
DVAHM68314 | 9/4/2010 12:00:00 AM | Author : Gautam Purohit, Gandhinagar

આ વર્ષે નવરાત્રી મહોત્સવ પાછળ રાજ્ય સરકાર પાંચ કરોડનો ખર્ચ કરશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આચારસંહિતા નહીં નડે તો ‘સ્વર્ણિમ નવરાત્રી મહોત્સવ’ ગાંધીનગર ખાતેના હેલીપેડ ગ્રાઉન્ડ પર યોજવાનું નક્કી કરાયું છે. આ મહોત્સવમાં પ્રથમ વખત બ્રાન્ડ એમ્બેસેડર અમિ